ટંકારા જોગ આશ્રમ મુકામે આવતીકાલે દિવંગતોના આત્માની શાંતિ અર્થે રામધુનનું આયોજન

- text


ટંકારા : મોરબીમાં ઝુલતો પુલ તૂટતા અનેક લોકો મોતને ભેટ્યા છે. જેઓના આત્માની શાંતિ અર્થે જોગ આશ્રમ લજાઈ મુકામે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

સમસ્ત લજાઈ ગામ દ્વારા આવતીકાલ તારીખ 2/11/2022 ને બુધવારે રાત્રે 9:00 થી 12:00 કલાકે પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના કલ્યાણ અર્થે તેમજ શ્રદ્ધાંજલિ સ્વરૂપે સરપદળવાળા ભુપત મહારાજની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામધૂનમાં સર્વે ગ્રામજનોને હાજરી આપી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પવા અનુરોધ કરાયો છે.

- text

- text