પુલ દુર્ઘટનામાં વાલીઓ ગુમાવનાર બાળકોને મોરબી સ્વનિર્ભર શાળાઓ નિઃશુલ્ક ભણાવશે

- text


મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો નિર્ણય

મોરબી : મોરબીમાં બનેલી દુઃખદ ઘટનામાં જે બાળકોના માતા-પિતાના મૃત્યુ થયા છે તેમના બાળકોના ભવિષ્યને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે જે અન્વયે આવા બાળકોને સ્વનિર્ભર શાળાઓ નિઃશુલ્ક શિક્ષણ આપશે.

- text

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે બાળકોના માતા-પિતા આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેઓ મોરબી જિલ્લાની જે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હોય તેઓના શિક્ષણની જવાબદારી જે તે ખાનગી અથવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ- મોરબી ઉપાડશે.

- text