વાલી ગુમાવનાર વિદ્યાર્થીઓને મોરબી એકેડમિક એસોસિએશન કલાસીસમાં વિનામૂલ્યે શિક્ષણ આપશે

- text


મોરબીઃ મોરબીમાં બનેલી ઝૂલતા પુલ દુર્ઘટનામાં અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને મોરબી એકેડમિક એસોસિએશન તથા આજુબાજુના સૌરાષ્ટ્રના એસોસિએશન દ્વારા ક્લાસમાં વિનામૂલ્યે શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. સાથે જ શિક્ષણ માટેની તમામ મદદ કરવામાં આવશે.

વધુ માહિતી અને મદદ માટે એસોસિએશનના ગુજરાત પ્રમુખ પ્રકાશ કરમચંદાની (મો.નં. 9033077726) અને મોરબી એસોસિએશનના પ્રમુખ રવિન્દ્ર ત્રિવેદી (મો.નં. 9879024410)નો સંપર્ક કરવો.

- text

- text