ઝૂલતા પુલ દુર્ઘટના : સુપ્રીમમાં 14મીએ જાહેરહિતની અરજી પર સુનાવણી

- text


મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પર 14 નવેમ્બરે સુનાવણી થશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ પીઆઈએલ ફાઇલ કરી છે. તેમાં દુર્ઘટના મામલે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવાની માગ કરવામાં આવી છે.

રાજ્યમાં ગમગીની ફેલાવનારા મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલે 134 લોકોના ભોગ લીધા છે. મચ્છુની ગોજારી ઘટનાનો તાગ મેળવવા વડાપ્રધાન મોદી આજે બપોર બાદ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિત પરિવારો સાથે મુલાકાત પણ કરવાના છે.

- text

- text