મોરબી ‘આપ’ દ્વારા કેન્ડલ માર્ચ યોજી દિવંગતોને શ્રદ્ધાંજલિ

- text


મોરબી : ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે આમ આદમી પાર્ટી-મોરબીએ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ તૂટી પડવાની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ દિવંગતોની આત્માને મોક્ષ મળે તે અર્થે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી નગર દરવાજાથી ઘટના સ્થળ ઝૂલતા પુલ સુધી કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, 65 મોરબી માળીયા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયા, 66 ટંકારા પડધરી વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય ભટાસણા સહિતના હોદેદારો સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ કેન્ડલ માર્ચ ઘટના સ્થળ ઝૂલતા પુલ પાસે પૂર્ણ કરી મૃતક આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલી બેઠક યોજી 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

- text

- text