ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોને કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબી : મોરબી શહેરમાં 30 ઓક્ટોબરના રોજ સાંજે બનેલી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે 31 ઓક્ટોબરના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું.

મોરબીના નહેરુ ગેટ ચોક ખાતે ગઈકાલે સાંજે 7 વાગ્યે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ કેન્ડલ માર્ચના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોરબીના નગરજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્ડલ માર્ચમાં મોરબી કોંગ્રેસ આગેવાનો, હોદેદારો તથા કાર્યકર ભાઇઓ બહેનો અને મોરબીના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

- text