મોરબી મજામાં ને ? : મોદીજીએ બ્રિજેશ મેરજાને પૂછ્યા પંથકના હાલચાલ

- text


 

જામકંડોરણાના કાર્યક્રમમાં પણ સાંસદ મોહનભાઇ સામે જોઇને મોરબીએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભર્યાનું જણાવ્યું

મોરબી : જામનગર ખાતેના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રી બ્રિજેશભાઈ મેરજાને તેમના મત વિસ્તાર મોરબીના હાલચાલ પૂછ્યા હતા. સાથે તેઓના ખબરઅંતર પણ પૂછી લાગણીસભર વાતચીત કરી હતી.

જામનગર ખાતે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસકામોનું લોકાર્પણ -ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે રોડ શો યોજીને જાહેર સભા સંબોધી હતી. આ કાર્યક્રમ વેળાએ મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ બ્રિજેશભાઈ મેરજાને મોરબી પંથકના હાલ ચાલ પૂછ્યા હતા. તેઓએ બ્રિજેશભાઈને પૂછ્યું હતું કે મોરબી જોશમાં છેને ? મજામાં છે ને ? સામે બ્રિજેશભાઈએ આપના આશીર્વાદ છે તેવો મિતભાષી પ્રત્યુતર આપ્યો હતો.

- text

બીજી તરફ આજના જામકંડોરણા ખાતેના કાર્યક્રમ પણ વડાપ્રધાને મોરબીનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ સાંસદ મોહનભાઇ કુંડારિયા તરફ નિર્દેશ કરીને મોરબીએ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભર્યાનું કહ્યું હતું.

- text