મોરબીના નહેરુ ગેઇટ નજીક શોર્ટ સર્કિટથી વીજપોલમાં આગ ભભૂકી

- text


થોડાવારમાં આગ ઓલવાઈ જતા સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબી શહેરના હાર્દ સમાન નહેરુ ગેઇટ અંદરની શેરીમાં શોર્ટ સર્કિટથી વીજપોલમાં આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે આગ ઓલવાઈ જતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

આ બનાવની સ્થાનિક લોકો પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના નગર દરવાજા અંદર આવેલી ડાક શેરીમાં આજે વીજપોલમાં શોર્ટ સર્કિર્ટથી આગ લાગી હતી. જો કે સલામતી માટે વિજપોલમાં આગ લાગતાની સાથે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. પણ થોડીવારમાં આગ ઓલવાઈ જતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જ્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર વખતે દિવાળીના તહેવારોમાં આવી સમસ્યા સર્જાય છે. જરાક ફોલ્ટમાં પણ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. આજુબાજુમાં બજાર હોવાથી દિવાળીમાં પાવર કાપને કારણે ધંધા ઉપર વિપરીત અસર પડે છે. તેવું વેપારીઓએ જણાવી દિવાળીના સમયે વીજ ધાંધીયાની સમસ્યા દૂર કરવાની માંગ કરી છે.

- text

- text