સરતાનપર રોડ ઉપર સીરામીક કારખાનામાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો

- text


વાંકાનેર : વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપર સીરામીક કારખાનામાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવ દીધો હોવાની ઘટના સામે આવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાંવેરના સરતાનપર રોડ ઉપર આવેલ સંસ્કાર ઝોન્સ સીરામીક કારખાનાના શ્રમિક ક્વાર્ટરમાં રહેતી અને ત્યાં જ મજૂરી કામ કરતી સુનીતાબેન રોહીદાસ નારવે (ઉવ.૧૯) નામની પરિણીતાએ ગઈકાલે કોઈ કારણોસર પોતાના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું. બાદમાં પરિણીતાના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતકનલ લગ્નગાળો ૩ વર્ષનો હોવાથી આ બનાવ ડીવાયએસપીની જાત તપાસનો થતો હોય વાંકાનેર પોલીસે પ્રાથમિક કાગળો કરી આગળની તપાસ ડીવાયએસપી એમ.આઇ.પઠાણને હવાલે કરી છે.

- text

- text