વાંકાનેર જડેશ્વર મંદિર નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : એકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર મંદિર નજીક વડસર પાસે ટ્રક ચાલકે ઇકો કારને હડફેટે લઈ અકસ્માત સર્જતા ઇકો કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.21ના રોજ થાનગઢના રહેવાસી ફરિયાદી દીપકભાઈ કેશાભાઈ ચાવડાની ઇકો કારને ટ્રક નંબર જીજે – 02 – ઝેડઝેડ – 5663 નંબરના ટ્રક ચાલકે ઘસાઈને ચલાવી ઠોકર મારતા ઇકોમાં બેઠેલા કાળુભાઇ કેશાભાઈ ચાવડા, પ્રશાંતભાઈ મનસુખભાઇ, દશરથભાઈ હકાભાઈ બોયર તેમજ રાહુલ ઓઘાભાઈ કોળીને ઇજાઓ પહોંચી હતી.

- text

વધુમાં આ અકસ્માતમાં ફરિયાદીના ભાઈ કાળુભાઇ કેશાભાઈ ચાવડાને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

- text