વાંકાનેરના શિક્ષકને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ રાજ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત

- text


શિક્ષક દિવસ નિમિતે શ્રેષ્ઠ શિક્ષકનું કરાયું સન્માન

વાંકાનેર : શિક્ષકદિને વાંકાનેરના ગુંદખડા પ્રાથમિક શાળાના શિક્ષકની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વને ગુજરાત સરકારે યાદગાર બનાવવા માટે સમગ્ર ગુજરાતમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની ગુંદાખડા પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક સાગર ઉમેશકુમાર દિનેશકુમારને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ વાંકાનેર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનાં હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ કલેક્ટર ઉપરાંત ગુંદાખડા પ્રાથમિક શાળાના આચાર્ય, સમગ્ર સ્ટાફ અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ તમામ મહાનુભાવોએ હાજરી આપી હતી.

- text

- text