માળીયા(મી.): સુલતાનપુર શાળાના શિક્ષકનું રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે સન્માન

- text


માળીયા(મી.) : સુલતાનપુર શાળાના શિક્ષક વનાળીયા ચેતનકુમારનું આજરોજ શિક્ષકદિન નિમિત્તે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન થયું હતું.

સુલતાનપુર શાળાના શિક્ષક વનાળીયા ચેતનકુમારની શિક્ષણ પ્રણાલી, બાળકો માટે સતત પ્રવૃત્તિમય અભ્યાસ, અલગ અલગ વિષયને લગતી તેમની સુંદર પ્રવૃત્તિઓ, વેસ્ટમાંથી બેસ્ટ જેવા ઘણા પ્રોજેક્ટ હાથ ધરતા તેઓને આ ગૌરવ પ્રાપ્ત થયું છે. વનાળીયા ચેતનકુમારનું આજરોજ માળીયા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વીસી સાર્વજનિક સ્કૂલમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા તેમજ અન્ય મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેઓને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ ઉપરાંત અન્ય પ્રમાણપત્ર અને ઇનામ પ્રાપ્ત થયા હતા.

- text

- text