આજે મેળાને કારણે રફાળેશ્વરથી જોધપર જતો રસ્તો વાહનો માટેબંધ

- text


મોરબી : શ્રાવણી અમાસ નિમિતે મોરબીના રફાળેશ્વર મંદિરે યોજાતા લોકમેળાને કારણે મોરબી તાલુકા પોલીસ દ્વારા આજે તા.27ના રોજ એક દિવસ માટે જોધપર જતો માર્ગ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા મુજબ તા.27ના રોજ રફાળેશ્વર લોકમેળાને પગલે એક દિવસ માટે રફાળેશ્વર ગામથી પસાર થતા જોધપર તરફ જવાના માર્ગને વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગને બદલે વાહન ચાલકોને ખોડિયાર મંદિરની બાજુમાંથી નીકળવા અનુંરોધ કરાયો છે.

- text