રવાપર ગામ બન્યું ગોકુળિયું ગામ : શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા ગ્રામજનોમાં અનેરો થનગનાટ

- text


મોરબી : મોરબી નજીક આવેલું રવાપર ગામને કાનાના આગમનને હરખભેર વધાવવા ગોકળિયું બનાવી દેવામાં આવ્યું છે.આખા ગામમાં અદભુત રીતે શણગાર કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા ગ્રામજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

મોરબીના રવાપર ગામમાં જન્માષ્ટમી મહોત્સવ લઈને આખા ગામને ભાતીગળ ટાઈપનું ગોકુળિયું ગામ બનાવીને જાણે દેવકી નંદનના જન્મના હરખભેર વધામણા કરવા ગામની દરેક શેરીઓને અદભુત રીતે સજાવવામાં આવી છે. આવતીકાલે રવાપર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા જન્માષ્ટમી મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાશે અને જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા તેમજ મટકી ફોડનું આયોજન કરાયું છે.

- text

- text