જન્માષ્ટમીના દિવસે ઓમનગર ખાતે ભવ્ય શોભાયાત્રા, કૃષ્ણ જન્મોત્સવ અને રાસ ગરબા યોજાશે 

- text


મોરબી: આવતીકાલે તારીખ 19 ઓગસ્ટ ને શુક્રવારના રોજ ઓમનગર યુવક મંડળ અને સમસ્ત ઓમનગર (ખા.) ગામ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા ભવ્ય શોભાયાત્રા અને સાથે ડી.જે. સાઉન્ડના સથવારે રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શોભાયાત્રા જન્માષ્ટમીના દિવસે સવારે 8 વાગ્યે શ્રી રામજી મંદિર ચોક ઓમનગર ખાતેથી નીકળશે. તો આ કાર્યક્રમમાં પધારવા ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text