મચ્છુ જળ હોનારતમાં મૃત્યુ પામનારના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

- text


મોરબી: મોરબી જળ હોનારતમાં મૃત્યુ પામેલાઓના આત્માને શાંતિ મળે તે માટે તારીખ ૧૧/૦૮/૨૦૨૨ ના રોજ પ્રજાપતિ સમાજ તથા મુંડિયા સ્વામી આશ્રમના ટ્રસ્ટી તથા સર્વે સેવક મંડળ સેવક ગણ દ્વારા શ્રી મદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કથા પૂર્ણ થતાં આજરોજ મૃત્યુ પામનારની સમાધિ સ્થળે જઈને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કથાનું આયોજન મુંડીયા સ્વામીની જગ્યા નીલકંઠ મહાદેવ મંદિર, સુપર ટોકીઝ પાસે, કુંભાર શેરી સામે, મોરબી ખાતે કરાયું હતું અને આ શ્રી મદ ભાગવત કથાના વ્યાસ સ્થાને મોરબીના સંગીતજ્ઞ અને શાસ્ત્રોમાં કુશળ એવા કિશનભાઈ પંડ્યાના મુખેથી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિર્વિઘ્ને સંપન્ન થયો અને તારીખ ૧૮/૦૮/૨૦૨૨ ના રોજ યજ્ઞ કરી અને ફળ રૂપી શ્રીફળ એ દિવ્ય આત્માની સમાધિ સ્થળે જઈને પૂજા અર્ચના કરી સમાધિ સ્થળે શ્રીફળ અર્પણ કરીને આત્માને પરમાત્મા અક્ષય શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી હતી.

- text

- text