સ્વતંત્રતા દિવસની પૂર્વ સંખ્યાએ હળવદમાં વિરાંજલી લોકડાયરાનું આયોજન

- text


લોકસાહિત્યકાર રાજભા ગઢવી, હકાભા ગઢવી સહિતના કલાકારો ક્રાંતિકારી અને દેશની રક્ષા માટે બલિદાન આપનાર ભરતમાતાના વીર સપૂતોની શોર્યગાથા અદભુત શૈલીમાં પ્રસ્તુત કરશે

હળવદ : સ્વતંત્રતા દિવસની પૂર્વ સંખ્યાએ એટલે 14 ઓગસ્ટના રોજ હળવદમાં વિરાંજલી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, હકાભા ગઢવી સહિતના કલાકારો ક્રાંતિકારી અને દેશની રક્ષા માટે બલિદાન આપનાર ભરતમાતાના વીર સપૂતોની શોર્યગાથા અદભુત શૈલીમાં પ્રસ્તુત કરશે

- text

હળવદના માર્કેટીંગ યાર્ડ ખાતે આવતીકાલે ૧૪ના રોજ રાત્રે નવ વાગ્યે ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિન નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા દેશની આઝાદીમાં પ્રાણની આહુતિ આપનાર ક્રાંતિવિરો તેંમજ દેશની રક્ષા માટે શહીદી વહોરી લેનાર તમામ ભારતમાતાની વીર સપૂતોની યાદમાં વિરાંજલી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, હકાભા ગઢવી સહિતના કલાકારો ક્રાંતિકારી અને દેશની રક્ષા માટે બલિદાન આપનાર ભરતમાતાના વીર સપૂતોની શોર્યગાથા અદભુત શૈલીમાં પ્રસ્તુત કરશે. આથી આવતીકાલે ૧૪ ઓગસ્ટ અખંડ ભારત સંકલ્પ દિન નિમિતે યોજનાર વિરાંજલી લોક ડાયરાનો લોકોને લાભ લેવા વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા અનુરોધ કરાયો છે.

- text