મોરબીના પૌરાણિક રામ મહેલ મંદિર પર અયોધ્યાથી પધારેલા શ્રધ્ધાનંદ બાપુની હાજરીમાં તિરંગો લેહરવાયો

- text


મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવે છે.જે અંતર્ગત મોરબીના પૌરાણિક રામ મહેલ મંદિર પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનમાં આજે સવારે મોરબી દરબાર ગઢ ખાતે આવેલ આશરે ૨૫૦-૩૦૦ વર્ષ પૌરાણિક રામ મહેલ મંદિર પર મંદિર પરીવાર દ્વારા મોટો રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવેલ હતો.

જેમાં મહંત રાજેન્દ્રદાસ બાપુ તથા ત્રીપાંખ સાધુ સમાજના પ્રમુખ કથાકાર સુખરામ બાપુ અને ખાસ રામ જન્મ ભૂમી અયોધ્યાથી પધારેલા શ્રધ્ધાનંદ બાપુની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text