માળીયા(મી.)માં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા : દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું શહેર

- text


માળીયા(મી.) : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત માળીયા (મીં) શહેરમાં હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં માળીયા પોલીસ સ્ટેશનથી મેઈનબજાર, શેરીઓ, ગલિયોમાં દેશભક્તિ ધૂન, નારાઓ, સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

તિરંગાયાત્રામાં બોહળી સંખ્યામાં શહેરીજનો, અધિકારીઓ, આગેવાનો, પોલીસ સ્ટાફ, વેપારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ વગેરે જોડાઈ ઘર, દુકાન, બજાર, શેરી, ગલિયોમાં તિરંગાને સન્માન સાથે લહેરાવ્યો હતો.

હર ઘર તિરંગા યાત્રાને સફળતા પૂર્વક યોજી માળીયા મિયાણા શહેરે દેશભક્તિની મિસાલ આપી હતી. આ હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવવા એસ.પી. પઠાણ સાહેબ, ડી.ડી.ઓ કોઢિયા, માળીયા શહેર પ્રભારી જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ કાર્યકારી સદસ્ય હર્ષિતભાઈ કાવર, માળીયા શહેર પ્રમુખ ઈલિયાસભાઈ, મહામંત્રી હનીફભાઇ, અવેશભાઈ તથા જિલ્લા મહામંત્રી બાબુભાઇ હુંબલ, રમેશભાઈ રાઠોડ, પ્રવીણ અરજણ વગેરે મહાનુભવીઓએ હાજરી આપી હતી.

- text

- text