મોરબી નવદીપ વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી સાથે યોજાઈ તિરંગા યાત્રા

- text


કાનુડો બનેલ બાળકે વાંસળીને બદલે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો

મોરબી : લાલપર ગામે આવેલ નવદીપ વિદ્યાલયમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જન્માષ્ટમીની ઉજવણી સાથે તિરંગા યાત્રા પણ યોજી હતી.

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ નવદીપ વિદ્યાલયમાં આજે જન્માષ્ટમીના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સાથે આઝાદીનાં 75માં વર્ષનું પર્વ ચાલી રહ્યુ છે ત્યારે વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા કાઢી હતી. બાલ કાનુડાઓએ હાથમાં વાંસળીને બદલે તિરંગા ધ્વજ લઈને રાષ્ટ્ર પ્રેમને પ્રદર્શિત કર્યો હતો.વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

- text

- text