માળીયામાં વરસાદ ખેંચાતા નર્મદા કેનાલનું પાણી ચાલુ રખાશે : રાજ્યમંત્રી

- text


મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ભારપૂર્વક રજૂઆતો બાદ મોરબી માળીયા અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં એક અઠવાડિયાથી હાલ ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવી રહ્યું છે. મોરબી માળીયામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હજુ એક અઠવાડિયું પાણી ચાલુ રાખવાની માંગણીને વાચા આપી રાજ્યમંત્રી અને મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ મુખ્યમંત્રી, જળ સંપત્તિ મંત્રી નર્મદા નિગમ અને નર્મદા વિકાસ મંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. જેના પગલે ગુજરાત સરકારે વધું એક અઠવાડિયું કેનાલમાં પાણી છોડવાં નિર્ણય કર્યો છે.

- text

- text