વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની જવાહર નવોદયની પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


વાંકાનેર : વાંકાનેર રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વિશ્વા કુબાવતે જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે.

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 6 માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ 5માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઇચ્છતા હોય છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6થી 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી માં આપવામાં આવે છે.

- text

આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં વાંકાનેર રાણેકપર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુબાવત વિશ્વા નરેન્દ્રભાઈએ ધો.6 માટેની જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા જાનકીબેન, પિતા નરેન્દ્રભાઈ, તેમજ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ વિશ્વાબેનને અભિનંદન સાથે શુભેચ્છાઓ મળી રહી છે.

- text