બગથળા નકલંકધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ ઉજવાશે

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા મુકામે આવેલી નકલંકધામ મંદિરની જગ્યાએ આ વર્ષે ધામધૂમથી ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. આગામી તારીખ 13/7/2022 ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા છે આ દિવસે અત્રેની જગ્યાએ સવારે 9:00 કલાકે ગુરુજીની આરતી અને પૂજન તથા બપોરે 11:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો દરેક ગુરુ ભાઈઓ-બહેનો અને સેવકગણને લાભ લેવા અને સહ પરિવાર પધારવા આમંત્રણ પાઠવાયુ છે.

- text

 

- text