આપના નેતાઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં મોરબી આપ દ્વારા રજૂઆત

- text


મોરબીઃ મોરબી માળિયાના આમ આદમી પાર્ટીની સંગઠન મંત્રી દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપર થઈ રહેલા હુમલા મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

મોરબી આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સુરતના અગ્રણીઓ ઉપર અવાર-નવાર હુમલા થઇ રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા પછી પણ આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. કોઈ પણ હુમલાખોરોને પકડી અને જેલના હવાલે કરવામાં આવ્યા નથી.

ત્યારે જવાબદાર રાજકીય પક્ષ તરીકે આપ દ્વારા જો આવી ઘટના ચાલુ રહેશે તો શહેરની અંદર કાયદો વ્યવસ્થા પણ ખોરવાશે અને લોકોને પોલીસ પ્રશાસન પરથી વિશ્વાસ ઉઠી જશે જેથી યોગ્ય તકેદારી રાખી હુમલાઓ થતા અટકાવવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી ખાસ માંગણી ઉઠાવી હતી.

- text

- text