ટંકારામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ત્રિ-દિવસીય યોગ શિબિર યોજાશે

- text


આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આયોજન કરાયું

ટંકારા : ટંકારામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે આઝાદીમાં અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.શિબિર રજીસ્ટ્રેશન ઓનલાઇન તેમજ સ્થળ પર કરવામાં આવશે.

ટંકારામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે આઝાદીમાં અમૃત મહોત્સવ અંતર્ગત પતંજલિ યોગ સમિતિ, ભારત સ્વાભિમાન, મહિલા પતંજલિ યોગ સમિતિ, પતંજલિ કિશાન સેવા સમિતિ, યુવા ભારત અને અમારો સ્વાભિમાન દ્વારા આગામી તા.19 થી 21 સુધી સવારે 6 થી 7:30 વાગ્યા સુધી આર્ય વિદ્યાલય,રાજકોટ-મોરબી હાઇવે,ખોડિયાર મંદિર પાસે, મોરબી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.યોગ શિબિરમાં નિરોગી રહેવા ઉકાળા વિતરણનું આયોજન કરેલ છે. શિબિરમાં શક્ય હોય તો નિયત કરેલ સફેદ વસ્ત્રોમાં યોગ શિબિર ભાગ લેવો.સાથે યોગા મેટ/બેડ શીટ /મેટ અને પાણીની બોટલ સાથે અવશ્ય રાખવી. શિબિરમાં સમય પહેલા પહોચવાનું રહેશે.

- text

શિબિર રજીસ્ટ્રેશન ઓનલાઇન તેમજ સ્થળ પર કરવામાં આવશે.રજીસ્ટ્રેશન માટે મો.નં.9925100232, 8980808071 ઉપર સંપર્ક કરવો. વધુ માહિતી માટે દેવજીભાઈ આર્ય,ભારતીબેન રંગપરીયા,લક્ષ્મણભાઈ પટેલ ,સોનીકાબહેન, મહેશભાઈ,રણછોડભાઈ પટેલ,અંદરપાભાઈ,સંજયભાઈ રાજપરા, ભરતભાઈ ઠક્કર, ખુશાલભાઈ જગોદરાનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

- text