- text
20થી 25 ગાયોને 200 કિલો કેરીનો રસ ખવડાવી ધન્યતા અનુભવી
મોરબી : સામાન્ય રીતે ગૌમાતાને લોકો ઘાસચારાનું દાન કરતા હોય છે. પણ મોરબીના એક મંડપના ધંધાર્થીએ ગૌમાતાને કેરીનો રસ ખવડાવ્યો હતો. જેમાં 20થી 25 ગાયોને 200 કિલો કેરીનો રસ ખવડાવી ધન્યતા અનુભવી હતી.
- text
મોરબીમાં મંડપના ધંધા સાથે સંકળાયેલા જયદીપભાઈ બારાએ તેમના પરિવાર સાથે ગૌમાતા માટે અનોખી સેવા પ્રવૃત્તિ કરી હતી. જેમાં લોકો ગાયોને ઘાસચારો ખવડાવતા હોય પણ જયદીપભાઈ બારાએ પરિવારે મોરબી સાત સ્વરૂપ હવેલીની ગૌશાળામાં રહેલી આશરે 20થી 25 ગાયોને 200 કિલો કેરીનો રસ ખવડાવી ધન્યતા અનુભવી હતી.
- text