માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજીઓની પૂર્તતા માટે પોર્ટલ ૧૮મી જૂન સુધી ખુલ્લું રહેશે

- text


મોરબી : ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત માનવ કલ્યાણ યોજના માર્ચ-૨૦૨૨થી ઓનલાઇન કરવામાં આવેલ છે અને કચેરી દ્વારા અરજદારોને અરજીમાં જરૂરી પૂર્તતા માટે send bank કરેલ અરજીઓમાં અરજદારોને તેમાં જરૂરી સુધારા વધારા કરવા માટેની આખરી તારીખ ૩૧/૦૫/૨૦૨૨ હતી.

- text

પરંતુ સંયુકત નિયામક(ટેક્ષ.), ગાંધીનગરના પત્ર મુજબ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મેળવવા વધુ તક આપવાના હેતુસર પોર્ટલ તારીખ-૧૮/૦૬/૨૦૨૨ સુધી જરૂરી પૂર્વતા કરી શકે તે માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે. જેથી પૂર્તતા સાથે અરજી કરવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text