હળવદ નજીક ટ્રાવેલ્સ – ટ્રેલર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટ્રાવેલ્સ ચાલકનું મૃત્યુ

- text


હળવદ : ધ્રાંગધ્રા – હળવદ હાઇવે રોડ ઉપર સુખપર ગામથી કવાડીયા ગામ વચ્ચે નર્મદા કેનાલ નજીક છ દિવસ પૂર્વે ટ્રાવેલ્સ બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટ્રાવેલ્સ ચાલકનું મૃત્યુ નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અકસ્માતના આ બનાવ અંગે ટ્રાવેલ્સ માલિક ઉપેન્દ્રભાઈ શાંતીલાલ રામાવત, રહે.જોગાસર રોડ ધ્રાંગધ્રા વાળાઓએ

- text

ટ્રેલર નંબર જીજે-12- બીડબલ્યુ-5109ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.6ના રોજ બપોરના સમયે તેમની ટ્રાવેલ્સ બસ સાથે ઉપરોક્ત ટ્રેલર ચાલકે અકસ્માત સર્જતાં ટ્રાવેલ્સના ડ્રાઈવર પ્રદિપભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું તેમજ ટ્રાવેલ્સમા બેઠેલ પેસેન્જરો ને શરીરે ઇજાઓ પહોંચાડી ટ્રેલર મુકી નાશી ગયો હતો.

બનાવ અંગે હળવદ પોલીસે ટ્રેલર નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text