એસટી બસ ટીકીટ કેન્સલ કૌભાંડમા એજન્ટોએ વાંકાનેર ડેપોને 1.44 લાખનો ધુમ્બો માર્યો

- text


ઓનલાઈન ટીકીટ બુક કરી વાંકાનેર ડેપોના અનેક રૂટ કેન્સલ કરી સરકારને નુકશાન પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ એટલે કે એસટીમાં ઓનલાઈન ટિકિટ બુક કરી જે તે ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ કાગળ ઉપર રૂટ કેન્સલ બતાવી ટિકિટના નાણાં રીફન્ડ મેળવવાના કૌભાંડના તાર વાંકાનેર એસટી ડેપો સુધી લંબાયા છે. બે કૌભાંડી એજન્ટ દ્વારા વાંકાનેર ડેપોને રૂપિયા 1.44 લાખથી વધુનું નુકસાન પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં એસટી વિભાગને નુકશાન પહોંચે તેવું કૌભાંડ આચારી એસટીના માન્ય બુકીંગ એજન્ટો દ્વારા પહેલા ટિકિટ બુક કરાવી બાદ કોઈપણ રીતે જે તે ડેપોના ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ બુકીંગ કરાયેલ બસની ટ્રીપ કાગળ ઉપર રદ કરી નાખી ટિકિટના નાણાંનું રીફન્ડ મેળવી લઇ નવતર પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જે અન્વયે વાંકાનેર એસટી ડેપોને પણ ભેજા બાજ એજન્ટોએ નુકશાન પહોંચાડતા વાંકાનેર એસટી વિભાગના મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં વાંકાનેર એસટી ડેપોમાં ફરજ બજાવતા કવિતાબેન મલયભાઇ ભટ્ટ દ્વારા ટિકિટ કેન્સલ કરી રીફન્ડ મેળવવા અને ટ્રીપ કેન્સલ કરવાના આ કૌભાંડમાં સંજયભાઇ આર. બારીયા જેના યુઝરઆઇડી GSSANJAYR અને વિપુલભાઇ ભગાભાઇ મોહનીયા જેના યુઝરઆઇડી GS MOHANIYA નામના વ્યક્તિઓ દ્વારા

જાન્યુઆરી-૨૦૨૨ થી મે-૨૦૨૨ દરમ્યાન વાંકાનેર એસટી ડેપોની અંદાજે 600 થી વધુ ટિકિટ રદ્દ કરી ડેપો મેનેજરના યુઝર આઈડી પાસવર્ડ મેળવી બસના રૂટ કેન્સલ કરી કુલ રૂપિયા 1,44,482 નું નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવી ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૯,૪૨૦,૩૪ તથા આઈ.ટી.એકટ કલમ ૬૬(સી) તથા ૬૬(ડી)મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

- text