મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થતા જિલ્લા યુવા ભાજપ દ્વારા ઉજવણી

- text


 

વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો

મોરબી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનને 8 વર્ષ પૂર્ણ થતાં મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા મોરચા દ્રારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

- text

આજે સરદાર સાહેબની પ્રતિમા પાસે, નવા બસ સ્ટેન્ડ ખાતે કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સુખદેવભાઈ દેલવાણીયા તેમજ રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રભારી મહાવીરસિંહ જાડેજા, શહેર યુવા મોરચાના પ્રભારી ડી. ડી. જાડેજા તેમજ શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપ પ્રમુખ અરુણભાઈ રામાવત, અજયભાઇ કોટક, રવિભાઈ રબારી તેમજ મિતુલભાઈ ધ્રાંગા અને મંત્રી શક્તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી તેમજ શૈલેષભાઇ અઘારા સહીત યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી.

- text