માળિયાની સરવડ શાળાનું ધો-12નું ઝળહળતું પરિણામ

- text


38 વિદ્યાર્થીઓમાંથી 37 વિદ્યાર્થીઓ પાસ : શાળાનું કુલ પરિણામ 97.36% 

માળિયા(મી.) : આજે જાહેર થયેલ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામમાં માળીયા તાલુકાના સરવડની કે.પી.હોથી વિદ્યાલયનું સરેરાશ પરિણામ 97.36% આવેલ છે.શાળાના 38 વિદ્યાર્થીઓમાંથી માત્ર 1 જ વિદ્યાર્થી નાપાસ થયેલ છે.

સરવડની કે.પી.હોથી વિદ્યાલયનું ધોરણ-12 સામાન્ય પ્રવાહની માર્ચ-2022ની પરીક્ષાનું પરિણામ શ્રેષ્ઠ આવેલ છે.શાળાના 38 વિદ્યાર્થીઓમાંથી 37 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.માત્ર 1 વિદ્યાર્થી 1 જ વિષયમાં નાપાસ થયેલ છે.આથી શાળાનું સરેરાશ પરિણામ 97.36% આવેલ છે.

- text

શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ સરવડ કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ કે.હોથી તેમજ મંત્રી રતિલાલ કે.હોથી દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓ, ઇ.આચાર્ય તથા સમગ્ર શિક્ષણગણને શુભેચ્છા પાઠવી હતી.

- text