મોરબીમાં વૃદ્ધના બિનવારસી મૃતદેહને અગ્નિદાહ અપાયો

- text


પંચમુખી ટ્રસ્ટ અને મહિલા સામાજિક કાર્યકર દ્વારા અંતિમવિધિ કરાઈ

મોરબી : મોરબીમાં બિનવારસી વૃદ્ધની ડેડ બોડી મળી આવેલ હતી.જેના કોઈ વારસદાર ન મળતા પંચમુખી ટ્રસ્ટ અને મહિલા સામાજિક કાર્યકર દ્વારા તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

મોરબીમાં તા.30-4-2022ના રોજ તાલુકા મથકમાં એક વૃદ્ધનું મુર્ત્યું થયું હતું.5 દિવસ બાદ વાલી વારસ ન મળતા હિન્દૂ વિધિથી બિનવારસી બોડીને આજે તા.5ના રોજ સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ પંચમુખી ટ્રસ્ટ દ્વારા અંતિમક્રિયા કરવામાં આવી હતી. આમ, મોરબીમાં વૃદ્ધના બિનવારસી મૃતદેહને અગ્નિદાહ અપાયો હતો.

- text

- text