ચણાની ટેકાના ભાવની ખરીદીમાં ગેરરીતી કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે

- text


વાવેતર અંગેના ખોટા દાખલા જેવી ગેરરીતિ માટે ખેડૂતો,સહકારી મંડળી,તલાટી મંત્રી વગેરે સામે પગલા ભરાવામાં આવશે

મોરબી : ચાલુ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના હેઠળ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે આ ખરીદીમાં તકનો ગેરલાભ લઇ કેટલાક તત્વો દ્વારા ગેરરીતિ આચરતા હોવાનું જણાતાં રાજ્ય સરકારે કડક ચેતવણી આપી છે. ઉપરાંત વાવેતર અંગેના ખોટા દાખલા જેવી ગેરરીતિ ખુલશે તો ખેડૂતો, સહકારી મંડળી, તલાટી મંત્રી વગેરે સામે પગલા ભરાવામાં આવશે.

ખેડૂતોને વાવેતર વગર વેચાણમાં ગેરલાભ ઉઠાવવાના પ્રયાસ બદલ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની તમામ યોજનાઓમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવશે તેમ જણાવીને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીએ ઉમેર્યું છે કે, આ તમામ કિસ્સાઓમાં ટેકાના ભાવે ખરીદાયેલ ચણાના જથ્થાની કિમતનું ચુકવણું પણ કરવામાં આવશે નહી. ઉપરાંત ખરીદી માટે ગુજકોમાસોલ દ્વારા નિયુક્ત થયેલ સહકારી મંડળીને આગામી બે વર્ષ માટે ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિબંધિત કરવામાં આવશે તથા સહકારી વિભાગની અન્ય યોજનાઓમાં લાભ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. ગામોમાં વાવેતરના ખોટા અપાયેલ દાખલાઓ માટે સબંધિત તમામ તલાટી કમ મંત્રીઓ સામે પણ વહીવટી પગલા ભરવામાં આવશે.

- text

સરકારી યોજનાઓમાં ગેરરીતિ સબબ સરકાર ખૂબ જ ગંભીર છે અને કડકમાં કડક પગલાં ભરવા કટિબદ્ધ છે. પરિણામે સાચા ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને તકનો ગેરલાભ ઉઠાવનાર વ્યક્તિઓ સામે સરકાર દ્વારા લેવાયેલ કડક પગલાને લીધે ગેરલાભ અટકશે તેમ જિલ્લા ખેતીવાડી આધિકારી દ્વારા જણાવાયું છે.

- text