- text
મોરબી : મોરબીની લાયન્સનગર પ્રાથમિક શાળામાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષક અને ધોરણ-8ના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળામાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષક સુમનબાળા જયંતીલાલ મહેતા કે જેઓ સેવા,સમર્પણ અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હતા. તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
તેમજ ધોરણ 8ના વિદ્યાર્થીઓ કે જેઓ અહીંની શાળામાં અભ્યાસ પૂર્ણ કરી આગળ અભ્યાસ માટે બીજી શાળામાં જવાના છે. તેમનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે સ્મૃતિ ચિન્હ આપી વિદાય આપવામાં આવી હતી.
- text
- text