હેલ્થ ટિપ્સ : જાણો.. ફળ ખાધા બાદ તરત પાણી પીવુ જોઈએ કે નહીં..

- text


સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. ફળ અને લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે. પણ ફળ અને શાકભાજી ખાતા પહેલા અને પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં? આ પ્રશ્ન ઘણા લોકોને થતો હોય છે. ફળ ખાવા માટે એક ચોક્કસ સમય હોય છે. ઘણા ફ્રુટ એવા હોય છે કે તે રાતે ખાવા જોઈએ નહીં. આ સાથે જ ઘણા ફ્રુટ ખાધા પછી પાણી ન પીવાની પણ સલાહ આપવામાં આવે છે.

ઘણા લોકો કહે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કંઈ ન થાય પણ ઘણા લોકો એવા પણ છે કે જે કહે છે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કેટલીક સમસ્યા પણ આવે છે. વડીલો ફળ ખાધા પછી પાણી પીવાનું ના પાડે છે. આમ, ફળ ખાધા પછી પાણી પીવાને લઈને અલગ-અલગ વાતો કહેવામાં આવતી હોય છે. તો સવાલ એ થાય છે કે આખરે ફળ ખાધા પછી પાણી આખરે પાણી ક્યારે પીવુ જોઈએ.

- text

ફ્રુટ ખાવું આપણા સ્વાસ્થય માટે ખુબ સારૂ છે. ફળમાં વિટામિન, મિનરલ્સ અને ઘણા ન્યુટ્રિશિયન હોય છે. જે હેલ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે. જે લોકો ડાયટ કરતા હોય છે. તે લોકો પણ ડાયેટમાં ફળોને જરૂર સામેલ કરે છે. પણ ફ્રુટમાં ખાંડ અને યિસ્ટની માત્રા વધુ હોય છે. જે એસિડ બનાવે છે. ઘણા ફળ એસિડ બનાવે છે. જેથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. એવામાં જો તમે ફળ ખાધા પછી પાણી પીવો છો તો ક્યારેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ક્યારેક કોઈ ફળ ખાધા પછી પાણી પીવામાં આવે તો પાચન ક્રિયા નબળી પડી જાય છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. આ સાથે જ એસિટીડીની સમસ્યા વધી જાય છે અને છાતીમાં બળતરા થાય છે. જેથી ફળ ખાધાના 1 કલાક પછી પાણી પીવું જોઈએ. જેથી કોઈ સમસ્યા ઉભી ન થાય.

- text