મોરબીમાં પરશુરામ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

- text


સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગૃપ દ્વારા આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવને હરખભેર ઉજવવા માટે તાડામાર તૈયારીઓ

મોરબી : મોરબીમાં આજે ભૂદેવોના આરાધ્યદેવ ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવને લઈને સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપમાં ભારે હરખની હેલી જોવા મળી હતી. આજે ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિતે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શહેરના વાઘપરા શેરી નબર-14માં આવેલ ગાયત્રી મંદિરેથી નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા અને નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે મહાઆરતી, દાંડીયા રાસ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

- text

- text