મોરબીમાં જૈન સોશિયલ ગ્રુપ અને સંગિની ફોરમના હોદેદારોનો કાલે રવિવારે શપથવિધિ સમારોહ

- text


મોરબીઃ આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસે જૈન સોશિયલ ગ્રુપ મોરબી અને સંગિની ફોરમ મોરબીના નવનિયુક્ત પ્રમુખ અને તેઓની ટીમનો શપથવિધિ સમારોહ ઉમા ટાઉનશીપ, સામાકાંઠે સાંજે 5-30 કલાકે યોજાનાર છે.

મોરબી જૈન સોશિયલ ગ્રુપ 41 વર્ષ પૂર્ણ કરી 42માં વર્ષમાં અને સંગિની ફોરમ મોરબી 7 વર્ષ પૂર્ણ કરીને 8માં વર્ષમાં મગલ પ્રવેશ કરી ચૂક્યું છે ત્યારે તારીખ 1લી મે ને રવિવારના રોજ જૈન સોશિયલ ગ્રુપ- મોરબીના પ્રમુખ નીતિનભાઈ ડી. મહેતા અને સંગિની ફોરમ મોરબીના પ્રમુખ જીજ્ઞાબેન જે. શાહ તથા તેમની નવી ટીમનો શપથવિધિ સમારોહ યોજાશે. સાંજે 5-30 કલાકે સામાકાંઠે ઉમા ટાઉનશીપ ખાતે યોજાનાર આ શપથવિધિ સમારોહમાં રીજીયન ચેરમેન ડો. ચેતનભાઈ વોરા ઉપસ્થિત રહીને બન્ને પ્રમુખની શપથ વિધિ કરાવશે. જ્યારે સંગિનીના કન્વીનર સેજલબેન દોશી નવા સભ્યોની ઈન્ડક્શન વિધિ કરાવશે.

- text

ફેડરેશનના વાઈસ પ્રેસિડેન્ટ મનિષભાઈ દોશી તથા ઈલે. રીજીયન ચેરમેન કાર્તિકભાઈ શાહ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાઈન્સ ક્લબ ઈન્ટરનેશનલના પૂર્વ ગવર્નર ચંદ્રકાંતભાઈ દફ્તરી, સૌરાષ્ટ્ર રીજીયનના સેક્રેટરી નિલેશભાઈ કોઠારી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

- text