ઓમનગર ખાતે 14 તારીખે બહુચરાજી માતાજીના મંદિરનો 20મો પાટોત્સવ તથા યજ્ઞ યોજાશે

- text


સમસ્ત બોપલીયા પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન

મોરબી : આગામી તારીખ 14મી મેના રોજ ઓમનગર (નવા ખારચીયા) ખાતે સમસ્ત બોપલીયા પરિવાર દ્વારા પરિવારના કુળદેવી શ્રી બહુચરાજી માતાજીના મંદિરનો ભવ્યાતિભવ્ય 20મો વાર્ષિક પાટોત્સવ તેમજ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓમનગર (નવા ખારચીયા) ખાતે 14 મે ને શનિવારના રોજ શ્રી બહુચરાજી માતાજીના મંદિરે યોજાનાર 20મા વાર્ષિક પાટોત્સવ અને યજ્ઞ પ્રસંગે સૌપ્રથમ સવારે 7-25 કલાકે દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત થશે. ત્યારબાદ યજ્ઞ થશે. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે કુલદીપભાઈ ભગવાનજીભાઈ બોપલીયા (બગથળા) અને તેમના પત્ની વંદનાબેન કુલદીપભાઈ બોપલીયા રહેશે. બપોરે 11-15 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આગલા દિવસે 13 મેના રોજ રાત્રે 9 કલાકે માતાજીના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text