મોરબીના વીસીપરામાં કાલે સોમવારે કોંગ્રેસ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન

- text


મોરબી : હાલ પવિત્ર રમજામ મહિનો ચાલી રહ્યો છે. તેથી મુસ્લિમ બિરદારોએ રોઝા રાખ્યા બાદ સાંજે રોઝા છોડવા માટે ઇફતાર પાર્ટી યોજાતી હોય છે. આથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વીસીપરામાં આવેલ બિલાલી મસ્જિદ ખાતે આવતીકાલે તા.18ને સોમવારે સાંજે 4 વાગ્યે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

વીસીપરામાં આવેલ બિલાલી મસ્જિદ ખાતે આવતીકાલે યોજનાર ઇફતાર પાર્ટીમાં અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરઝાદા, મોરબી શહેર ખતીબ પીર સૈયદ અ.રસીદમિયા કાદરી, મુસ્લિમ સમાજના અગ્રણી અયુબભાઈ અબ્દુલભાઇ મોવર, મોરબી જિલ્લા લઘુમતી સમાજના પ્રમુખ મહંમદભાઈ કડીવાર સહિતના ઉપસ્થિત રહેશે. આથી આયોજક મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી હુશેનભાઈ ભટ્ટી અને મોરબી શહેર કોંગ્રેસ મહામંત્રી દાઉદભાઈ સુમરાએ સ્થાનિક રોઝદારોને આ ઇફતાર પાર્ટીનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

- text