મોરબીના નિવૃત શિક્ષકે કુષ્ઠયજ્ઞ સહયોગ માટે કરોડોનું દાન એકત્ર કર્યું

- text


ટ્રસ્ટની સેવાકીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ અપાશે

મોરબી : મોરબીમાં કુષ્ઠયજ્ઞ સેવા યજ્ઞમાં 1200 જેટલા દરિદ્રનારાયણોનું લાલન,પાલન અને પોષણ થઈ રહ્યું છે.આ કુષ્ઠયજ્ઞમાં સહયોગી બનવા મોરબીના નિવૃત શિક્ષકે લોકો પાસેથી કરોડોનું દાન એકત્ર કર્યું છે.અત્યાર સુધીમાં તેમને બે કરોડ અને અગિયાર લાખ જેટલી ધનરાશી એકત્ર કરી અને કુષ્ઠયજ્ઞ સહયોગ ટ્રસ્ટમાં મોકલી છે.આ અવિરત સેવાયજ્ઞ બદલ ટ્રસ્ટને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવશે.

કુષ્ઠયજ્ઞ સેવાયજ્ઞ હિંમતનગર રાજેન્દ્ર ચોકડી પાસે ચાલી રહ્યો છે.જ્યાં 1200 જેટલા રક્તપિત્ત ગ્રસ્ત,દિવ્યાંગ, મેન્ટલી ચેલેન્જ,પોતાના કુટુંબીજનોએ તરછોડી દીધેલ દરિદ્રનારાયણોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે.સુરેશભાઈ સોની અને ઈન્દીરાબેન સોની સાંપ્રત સમયના સંત દેવીદાસ અને અમરમાં બનીને સેવાની સુગંધ પ્રસરાવી રહ્યા છે.

કુષ્ઠયજ્ઞના આર્થિક સહયોગ માટે મોરબીના શિક્ષક ચંદુભાઈ દલસાણિયાએ આજથી આશરે અઢાર – વીસ વર્ષ પહેલાં બીડું ઝડપ્યું હતું.લોકો પાસે જઈ કુષ્ઠયજ્ઞ સહયોગ ટ્રસ્ટ અંગે માહિતગાર કરી અને ફૂલ નહિં તો ફૂલની પાંખડી રૂપે ધનરાશી મેળવી મનીઓર્ડર બેંક મારફત ધનરાશીની પ્રસાદી મોકલી આપે છે.ચંદુભાઈ દલસાણીયા નિવૃતી બાદ પ્રવૃત રહી 65 વર્ષે પણ લોકો વચ્ચે સારા – માઠા પ્રસંગે પહોંચી અને કુષ્ઠયજ્ઞ સહયોગ માટે સહયોગ માંગે,મોરબીના ઉદ્યોગકારો પહોંચી પાસે જઈ અત્યાર સુધી બે કરોડ અને અગિયાર લાખ જેટલી ધનરાશી એકત્ર કરી અને કુષ્ઠયજ્ઞ સહયોગ ટ્રસ્ટમાં મોકલી આપેલ હતી.

- text

તાજેતરમાં જ ભાનુમતીબેન ડાયાલાલ સોલંકી પાસેથી રૂપિયા પાંચ લાખ એમના બહેન સ્વ.મંજુલાબેન સોલંકી અને સાત અન્ય સ્વર્ગવાસીના સ્મરણાર્થે રૂપિયા બે લાખ એમ કુલ સાત લાખનું દાન ચંદુભાઈ દલસાણીયાએ મેળવીને કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં મોકલ્યું હતું.રક્તપિત્ત ક્ષેત્રે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિ બદલ આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ દ્વારા સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટને એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

- text