પેપરલીક કૌભાંડને ઉજાગર કરતા યુવા નેતાની ધરપકડ મામલે કાલે શનિવારે મોરબીમાં વિરોધ

- text


મોરબી જીલ્લા NSUI અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાશે

મોરબી : મોરબી જીલ્લા NSUI અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા પેપરલીક કૌભાંડને ઉજાગર કરતા યુવાનેતાને જેલમાંથી મુક્ત કરવા સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબી જીલ્લા NSUI અને મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા પેપરલીક કૌભાંડને ઉજાગર કરતા યુવાનેતાને જેલમાંથી મુક્ત કરવા આવતીકાલ તા.9ને શનિવારના રોજ સવારે 10 કલાકે નેહરુ ગેટ ચોક મોરબી ખાતે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થી યુવાનેતા કે જેમને ઘણા સમયથી થઈ રહેલ ભરતીમાં કૌભાંડને ઉજાગર કરવા પ્રયત્ન કર્યા હતા.તેથી યુવરાજસિંહ જાડેજા વિરૂદ્ધ જે ખોટા કેસો કરી ગંભીર ગુનાની કલમ લગાડી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.તેના વિરોધમાં અને વિદ્યાર્થીનેતાને જેલ મુક્ત કરવા માટે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ છે.

- text