હળવદમાં મંગળવારે સ્વજનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ લોકડાયરાનું આયોજન

- text


સ્વજનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજાશે

હળવદ : હળવદમાં મંગળવારે સ્વજનની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ સ્વજનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ આયોજિત કરાયો છે.

હળવદના નિવાસી સ્વ.ઘોઘજીભા કાનજીભા પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયોજન આગામી તા.5ને મંગળવારના રોજ સાંજે 7 કલાકે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને રાત્રે 9 કલાકે લોકડાયરો સુંદરી ભવાની,હળવદ ખાતે યોજાસે.આ લોકડાયરામાં લોક સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ,ગોવિંદભાઇ પાલીયા,રાજુભાઈ આહીર ઉપસ્થિત રહેશે.તેમજ ભજન આરાધક જયમંતભાઈ દવે હાજર રહેશે.આ કાર્યક્રમોમાં કબરાઉ મણીધર મોગલ – વળવારી(બાપુ મોગલકુળ),ચારણ ઋષિ જનકસિંહ(સલાળા આશ્રમ),દક્ષાબા (મોગલધામ તરઘરા – બોટાડ) હાજરી આપશે.

- text

- text