મોરબીના અગ્રણી ઉદ્યોગપતિની ઉપસ્થિતિમાં સોમનાથમાં ઉમા અતિથિ ગૃહનું ઉદ્ઘાટન કરાયું

- text


મોરબી : મોરબીના અગ્રણી ઉદ્યોગપતિની ઉપસ્થિતિમાં સોમનાથમાં ઉમિયા માતા મંદિર-સીદસર દ્વારા નિર્મિત ઉમા અતિથિ ગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને ઉતારા માટે સોમનાથ બાયપાસ સર્કલ, મીઠાપુર વિલેજ રોડ, સોમનાથ ખાતે ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા દાતાઓના સહયોગથી રૂ. 11 કરોડના ખર્ચે અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે યાત્રાધામ સોમનાથમાં ગત તા. 26ને રવિવારના રોજ અતિથિ ગૃહનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

- text

આ લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગૃહના લોકાર્પણ સમારોહમાં મુખ્ય દાતા ઉકાણી પરિવાર સાથે મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના ફાઉન્ડર તથા ઉમા લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન એવા ગોવિંદભાઈ વરમોરા મંચ પર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text