મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

- text


દિલ્હીના ધારાસભ્ય નરેશભાઈ જાદવ અને પ્રવીણભાઈ રામ ઉપસ્થિત રહ્યા

મોરબી : પંજાબમાં આપની જીત બાદ આપના કાર્યકરોમાં નવો જોમ અને જુસ્સો આવ્યો છે ત્યારે મોરબીમાં આપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા માં દિલ્હીના ધારાસભ્ય, પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામ સહુતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

2022 ની ચૂંટણી નજીક આવતા તમામ પક્ષના લોકો સક્રિય થઈ ગયા છે અને જુદી જુદી રેલીઓ અને કાર્યક્રમો કરી પાર્ટીમાં જોમ અને જુસ્સો ભરી રહ્યા છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગાયાત્રા ગઈકાલ તા. 13 ને રવિવારે યોજવામાં આવી હતી આ યાત્રા શહેરના ભક્તિનગર સર્કલથી શરૂ કરી, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ, ગાંધી ચોક થી વિજય ટોકીઝ થઈ વીસી ફાટક સુધી યોજાઈ હતી.

- text

આ યાત્રામાં દિલ્હીના ધારાસભ્ય નરેશભાઈ યાદવ તેમજ ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તેમજ મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તેમજ મોરબી જિલ્લા આપ પ્રમુખ વસંતભાઈ ગોરીયા સહિત જિલ્લા ટીમ ના તમામ પદાધીકારી જોડાયા હતા.

- text