વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવ નારીરત્નોનું સન્માન

- text


વિશ્વ મહિલા દિન નિમિતે માતૃશક્તિની વંદના કાર્યક્રમ યોજાયો

વાંકાનેર : વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિની વંદના માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરતી સ્વબળે સંઘર્ષ કરી સમાજમાં કંઈક વિશિષ્ટ ઓળખ ઉભી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.સમાજ માટે પ્રત્યેક ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓને બિરદાવવા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.સમાજમાં પ્રત્યેક ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓના યોગદાનને સ્વીકારવા માતૃશક્તિ વંદના કાર્યક્રમ કરી નવ નારી રત્નનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા…શિક્ષક કે હિતમેં સમાજ ધ્યેય સૂત્ર સાથે શિક્ષકના હિતની સાથે સમાજ હિત માટે કામ કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિની વંદના માટેનો કાર્યક્રમ એલ કે સંઘવી વિદ્યાલય વિદ્યાભારતી વાંકાનેર ખાતે યોજાવામાં આવ્યો હતો.જેમાં વાંકાનેર શૈક્ષિક સંઘ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં કાર્ય કરતી સ્વબળે સંઘર્ષ કરી સમાજમાં કંઈક વિશિષ્ટ ઓળખ ઉભી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજમાં ખુબજ સંઘર્ષ કરીને સ્વબળે આગળ વધી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર માતૃશક્તિના સન્માન કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે દર્શનાબેન જે.જાની અતિથિ વિશેષ મહાવીરસિંહ ઝાલા,મુખ્ય અતિથિ પ્રજ્ઞાબા ઝાલા હાજર રહ્યા હતા.મહિલા અધ્યક્ષ ડો.ડોક્ટર લાભુબેન કારાવદરાએ સ્વાગત પરિચય અને સંગઠનનો પરિચય આપી સ્ત્રીના વિકાસની વાત કરી હતી.શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અશોકભાઈ સતાસિયા દ્વારા ત્રણ વર્ષથી કાર્યક્રમની આ પ્રવૃત્તિ થઈ રહી છે.વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે ઓસમાજ માટે પ્રત્યેક ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓને બિરદાવવા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.તે શિક્ષણ સાથે સંકળાયેલા છે છતાં પણ સમાજમાં પ્રત્યેક ક્ષેત્રમાં કાર્ય કરતી મહિલાઓના યોગદાનને સ્વીકારવા માતૃશક્તિ વંદના કાર્યક્રમ થાય છે તેવું જણાવ્યું હતું.

અતિથિ મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે સ્ત્રીને સ્વતંત્રતા મળવી જ જોઈએ તેને પ્રત્યેક અધિકાર પુરુષે આપવા જોઈએ.મહિલા દિને ખરેખર તો મહિલા સંમેલન નહીં પરંતુ પુરુષોનું સંમેલન થવું જોઈએ અને જે કંઈ પ્રશ્નો છે.મહિલાઓના તે વિશે વિચારવું જોઈએ.સન્માન પાત્ર મહિલાઓમાં રાજાવડલા પ્રાથમિક સ્કૂલના આચાર્ય છાયાબેન આચાર્ય,સમાજસેવા અને મૂંગા જીવોની સેવા કરનારા ઇન્દુબા ઝાલા,આરોગ્ય અને સેવાના ગીતાબેન સોલંકી,તબીબી ક્ષેત્રે ડિમ્પલબા ઝાલા,શિક્ષણ અને લેખનમાં મીનાબેન કાપડી,વિશિષ્ટ અભ્યાસ ક્ષેત્રે CA ઝંખનાબેન ગણાત્રા,સુરક્ષા અને પોલીસ હીનાબેન પાંચિયા,સેવાકીય પ્રવૃત્તિ અને મહિલા સહાય હસીનાબેન હુસેનભાઇ વૃદ્ધાશ્રમમાં નિસ્વાર્થ સેવા આપનાર ભાનુબેન રબારીનું અનુમાન કરવામાં આવ્યું હતું.

- text

આમ દરેક ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનાર નવ નારી રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય વક્તા દર્શનાબેન જાનીએ જણાવ્યું સ્ત્રીનું સ્ત્રીત્વ એ જ તેની ગૌરવ કરવા જેવી બાબત છે તેને પુરુષ સમોડા થવાની જરૂર નથી.સ્ત્રી તરીકે જ તે શ્રેષ્ઠ છે ઈશ્વરે તેને પોતાની બાજુમાં બેસાડી છે.પ્રત્યેક સ્ત્રીએ સ્ત્રી તરીકે પોતાનું કાર્ય દીપાવી સૌ નર- નારીઓ ભેગા મળીને કાર્ય કરવું.આપણે જગતની તમામ માતૃશક્તિનું વંદન કરીશું.ઘરની ગૃહિણી પણ પોતાના સંતાનો માટે જે કારકિર્દીનું નિર્માણ કરે છે તે તમામ ડિગ્રીઓનો તે પરોક્ષ સ્વરૂપે પોતે પ્રાપ્ત કરે છે અને તેનું પણ સમાજમાં સાચા નાગરીકોના ઘડતર દ્વારા ખૂબ મોટું યોગદાન છે.

સમાજની પ્રત્યેક માતૃશક્તિનો ઉત્કર્ષ થવો જોઈએ,ભારતની જે વિરાગંનાઑ હતી.જેને કદાચ હાલ જેટલું અક્ષર જ્ઞાન પણ નહોતું મળ્યું પણ તે ખરા અર્થમાં સાક્ષર અને સશક્ત હતી.આ દરેક ઐતિહાસિક પાત્રો વિકટ અને વિષમ પરિસ્થિતિમાં પણ આગળ વધ્યા છે.તો આજે દરેક સ્ત્રીને ઘણી બધી અનુકૂળતા હોય છે તો પોતે પણ આગળ વધી સમાજ અને રાષ્ટ્રનો ઉત્કર્ષ કરી સમાજમાં પોતાની ઓળખ ઉભી કરી આગળ વધશે.આ સાથે સન્માન પાત્ર બહેનોએ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વાંકાનેરનો માતૃશક્તિ વંદના કાર્યક્રમ કરવા બદલ હધ્યપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા શૈક્ષિક સંઘના તમામ કાર્યકર્તાઓએ સફળ આયોજન કર્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન એલ કે સંઘવીના શિક્ષક સોનલબેન ઠુમર દ્વારા કરવામાં આવ્યું હતું.અંતે કલ્યાણ મંત્રથી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ અને મહિલાઓ વિશ્વ કલ્યાણ માટે કટીબદ્ધ થયા હતા.

- text