હળવદના રાતાભેર ગામે મંગળવારે સંતવાણીનું આયોજન

- text


હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા ઠાકોર સમાજવાડીના લાભાર્થે વાસુકી સાઉન્ડના સથવારે સંતવાણી આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આયોજકે જાહેર જનતાને આપવામાં આવ્યું છે.

વેલનાથ પ્રગતિ મંડળ દ્વારા ઠાકોર સમાજવાડીના લાભાર્થે વાસુકી સાઉન્ડના સથવારે આગામી તા.15ને મંગળવારના રોજ રાતે 9:30 કલાકે હળવદ તાલુકાના રાતાભેર ગામે ઠાકોર સમાજની વાડી ખાતે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ભજનિક તરીકે કરિશ્મા દેશાણી અને રમેશભાઈ ઠાકોર તથા સાહિત્યકાર તરીકે રવિન્દ્ર સોલંકી ઉપસ્થિત રહેશે.તબલાવાદક તરીકે ગીરીશભાઈ મહારાજ ,બેન્જો તરીકે કુલદીપગીરી બોટાદ અને મંજીરાવાદક તરીકે ટીકુભાઇ-કાળુભાઇ સેવા આપશે.મુખ્ય મહેમાન તરીકે ધ્રાંગધ્રા- હળવદના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા,ધ્રાંગધ્રા- હળવદના પૂર્વ ધારાસભ્ય જ્યંતિભાઈ કવાડીયા અને મોરબી જિલ્લા પ્રમુખ ચંદુભાઈ શિહોર ઉપસ્થિત રહેશે.આ સંતવાણીમાં જોડાવા જાહેર જનતાને આમત્રંણ આપવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text