રાજ્યકક્ષાની કાવ્યગાન સ્પર્ધામાં લજાઈની વિદ્યાર્થીની રાજ્યભરમાં પ્રથમ

- text


ટંકારા : આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત યોજાયેલ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઇની વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો.જેમાં મોરબી જિલ્લા વતી પ્રતિનિધિત્વ કર્યું હતું.આ રાજ્યકક્ષાની કાવ્યગાન સ્પર્ધામાં વિદ્યાર્થીનીએ મોરબીનું ગૌરવ વધાર્યું હતું.

- text

ગાંધીનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ રાજ્યકક્ષાની કાવ્યગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જિલ્લા વતી કાવ્યગાન સ્પર્ધામાં જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઇની વિદ્યાર્થીની મારુ સ્નેહા હસમુખભાઈએ ભાગ લીધો હતો.જેને મોરબી જિલ્લા વતી પ્રતિનિધિત્વ કર્યું હતું તેણીએ પોતાના કંઠથી બધાને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.અને રાજ્ય લેવલે પ્રથમ ક્રમ મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ હતું.જે બદલ શાળાના સંચાલકોએ અભિનંદન પાઠવ્યા હતા.મારુ સ્નેહબેન ભવિષ્યમાં સંગીતક્ષેત્રમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.ટંકારા તાલુકાની જ્ઞાનજ્યોત વિદ્યાલય લજાઇની વિદ્યાર્થીની મારુ સ્નેહા હસમુખભાઈ ધોરણ 9માં અભ્યાસ કરે છે.

- text