- text
વવાણીયા અને કુંતાસીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
માળીયા (મી.) : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તારીખ ૪/૨/૨૦૨૨ શુક્રવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે.
- text
મંત્રીના કાર્યક્રમ અનુસાર તારીખ ૪/૨/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વવાણીયા (તા. માળીયા-મી.) ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ૧૧:૩૦ કલાકે કુંતાસી (તા. માળીયા-મી.) ખાતે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અનુકૂળતા અનુસાર ગાંધીનગર જવા રવાના થશે.
- text