રાજ્યમંત્રી કાલે શુક્રવારે માળીયા તાલુકાના પ્રવાસે

- text


વવાણીયા અને કુંતાસીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

માળીયા (મી.) : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તારીખ ૪/૨/૨૦૨૨ શુક્રવારના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે.

- text

મંત્રીના કાર્યક્રમ અનુસાર તારીખ ૪/૨/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વવાણીયા (તા. માળીયા-મી.) ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ૧૧:૩૦ કલાકે કુંતાસી (તા. માળીયા-મી.) ખાતે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અનુકૂળતા અનુસાર ગાંધીનગર જવા રવાના થશે.

- text