- text
ટંકારા : વાંકાનેર નજીક નિર્માણાધીન રામધામના સ્વપ્નદ્રષ્ટા રઘુવંશી અગ્રણી જીતુભાઇ સોમાણીનું ટંકારા રઘુવંશી યુવક મંડળ દ્વારા સન્માન કરાયું હતું.
રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વાંકાનેર ખાતે રામધામ માટેની જગ્યામાં આગામી તા. 10,11,12 ફેબ્રુઆરીએ શ્રીરામ મહાયજ્ઞનું આયોજન કરેલ છે. જે અંગે ગત 30 જાન્યુઆરીએ મિટીંગ યોજાઈ હતી. જેમા ટંકારા રઘુવંશી યુવક મંડળે હાજરી આપી રામધામ માટે પગના પગરખાં ન પહેરવાની પ્રતિજ્ઞા લેનાર મહાજન જીતુભાઈને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- text
આ તકે ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા, પ્રશાંત સેજપાલ,નૈમિષ સેજપાલ,જય કક્કડ,રાજન કટારીયા,જયદિપ સેજપાલ અને અભય સેજપાલ સહિતના એ હાજરી આપી સન્માન કર્યુ હતું. વાકાનેરમાં મળેલી બેઠકમાં ટંકારા યુવા ટીમે હાજરી આપી તમામ સહયોગની ખાતરી આપી હતી.
- text