- text
ટંકારા: ધંધુકામાં થયેલી હત્યા મામલે ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ કાલે સ્વયંભૂ બંધ પાળી આવેદનપત્ર આપવામાં આવશે.
ધંધુકામાં હિન્દુ યુવકની વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હોય જેથી તેના પરિવારને ન્યાય મળે તે માટે આવતીકાલ તા.31/1/2022 ને સોમવારે બપોરે 12 કલાકે ટંકારા તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે.
આ ઉપરાંત દેરીનાકા પાસે નગરજનો અને વેપારીઓએ બપોર ટાણે સ્વયંભૂ બંધ પાડી આવેદન આપવાનો નિર્ણય કર્યો છે.
- text
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં આ યુવકની હત્યાના પડઘા પડયા છે.ત્યારે ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ એકત્રિત થઈ મીટીંગ બોલાવી હતી. અને આવતીકાલે આવેદન આપવાનો નિર્ણય કર્યો છે.જે મુજબ આવેદન આપવામાં આવશે.
- text